અમદાવાદ : દાલોદના સિંધવ પરિવારે દૂધ અને દાડમનો “કોમ્બો” અને આવક થઈ “જમ્બો” સૂત્રને સાર્થક કર્યું..!

New Update
અમદાવાદ : દાલોદના સિંધવ પરિવારે દૂધ અને દાડમનો “કોમ્બો” અને આવક થઈ “જમ્બો” સૂત્રને સાર્થક કર્યું..!

દાલોદના સિંધવ પરિવારે ખેતી અને પશુપાલનમાં ચીલો ચીતર્યો

બાગાયતી ખેતી સહિત પશુપાલન થકી પરિવાર લખપતિ બન્યો

વર્ષે લાખોની આવક રળતો પરિવાર અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત

અમદાવાદના માંડલ તાલુકાના દાલોદ ગામનો એક ખેડૂત પરિવાર બાગાયતી ખેતી અને પશુપાલનની મદદથી લખપતિ બન્યો છે. વર્ષે લાખોની આવક રળતું આ પરિવાર અન્ય ખેડૂત-પશુપાલકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.

આ ડેરી ફાર્મ છે અમદાવાદના માંડલ તાલુકાના દાલોદ ગામે આવેલ સિંધવ પરિવારનું, જ્યાં 3 ભાઈઓ સંયુક્ત પરિવારમાં 25 સભ્યો સાથે રહીને ખેતી અને પશુપાલન કરી રોજી-રોટી રળતા હતા. તેવામાં કુટુંબના મોભીને સરકારની "દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય" વિશે જાણ થઈ. તેમણે આ યોજનાનો લાભ લઈને ગીર ગાયની ખરીદી કરી ડેરી ફાર્મ શરૂ કર્યું હતું. હાલ આ ફાર્મમાં 25 ગાય છે, જેના થકી આ પરિવાર દર મહિને રૂ. 1 લાખથી વધુની આવક મેળવે છે. એટલું જ નહીં, સિંધવ પરિવાર બાગાયત ખાતાના માર્ગદર્શનમાં દાડમની પણ ખેતી કરે છે. જેમાંથી આ વર્ષે રૂ. 6 લાખની આવક થાય છે.

સિંધવ પરિવારના સભ્ય હંસા સિંઘવ પશુપાલનના મહત્વ અને ફાયદા જણાવતાં કહ્યું હતું કે, એક સમયે ગીરીબીનો સામનો કરતું અમારુ ઘર આજે 2 નહીં પણ 12 પાંદડે થયું છે. તેના પાયામાં પશુપાલન અને બાગાયતા ખેતી છે. આમ, દૂધ અને દાડમનો “કોમ્બો” અને આવક થઈ “જમ્બો” આ વાક્યને સિંધવ પરિવારે સાર્થક કર્યું છે. જો સંયુક્ત પરિવાર સહિયારા પ્રયાસો કરે તો સમૃદ્ધિ દૂર નથી, તે આ પરિવારે પુરવાર કર્યું છે.

Read the Next Article

વાહનચાલકો આનંદો: એક્સપ્રેસ હાઇવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે,કનેક્ટ ગુજરાતની ટીમે કર્યું નિરીક્ષણ

દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે

New Update
  • વાહનચાલકો માટે મહત્વના સમાચાર

  • એક્સપ્રેસ હાઇવે સુરત સુધી થશે શરૂ

  • ભરૂચથી સુરત સુધીનો માર્ગ ખુલ્લો મુકાશે

  • તંત્ર દ્વારા કામગીરીને અંતિમ ઓપ અપાયો

  • ગણતરીની મિનિટોમાં સુરત પહોંચી શકાશે

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે.
આજરોજ કનેક્ટ ગુજરાતની ટીમે એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો અંકલેશ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અમારી ટીમ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર હતી ત્યારે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી.
એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી સુરત તરફનો ભાગ શરૂ થતા જ વાહનચાલકોનો કીમતી સમય પણ બચશે. તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં રાહત મળી શકે છે. કારણ કે હમણાં એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઇવે નંબર 48 અથવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરીને અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઈવેનો આ ભાગ કાર્યરત થતાં તેઓ સીધા જ સૂરત જઈ શકશે.
Latest Stories