અમદાવાદ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત | સમાચાર, અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ કલેક્ટર, પોલીસ

New Update

હર ઘર તિરંગા અભિયાનસમગ્ર દેશમાં વેગવંતુ

તા. 8થી 15 ઓગષ્ટ સુધી અભિયાનનું આયોજન

ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણ

તા. 13 ઓગષ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત

લાખો લોકો દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવશે

અમદાવાદશહેરના વિજય ચાર રસ્તા ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાંતિરંગા વિતરણનો કાર્યક્રમયોજાયોહતો.જેમાં અમદાવાદકલેક્ટર,પોલીસ કમિશનર,ડીઆઈજી,ડીજી,એસીપી,ડીસીપી કક્ષાના અધિકારીઓતિરંગા વિતરણ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. છેલ્લા 2 વર્ષથી હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં શરૂ છે,

ત્યારેસમગ્ર ગુજરાતનાહેરોથી લઈને નાના નાના ગામડાઓમાંદરેક જગ્યા પર હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યુંછે. સમગ્ર દેશમાં 8થી 15 ઓગસ્ટ સુધી આ અભિયાનહાથ ધરવામાં આવ્યું છેજેમાં 14હજારથી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે.આગામી તા.13ઓગષ્ટેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં અતિભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લઈને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવશે.

Read the Next Article

ભરૂચ: મેઘરાજાના શ્રાવણના સરવરીયા, ઠેર ઠેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

New Update
  • ભરૂચ જિલ્લામાં મેઘાવી માહોલ

  • સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો

  • તમામ 9 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

  • આજે સવારથી જ વરસાદી માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જમ્યું છે ત્યારે સતત બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
તો બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ વામણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા.વાવણી થયા બાદ હવે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ જ આજે વહેલી સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને હાંસોટમાં 1-1 ઇંચ તો નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.