હર ઘર તિરંગા અભિયાનસમગ્ર દેશમાં વેગવંતુ
તા. 8થી 15 ઓગષ્ટ સુધી અભિયાનનું આયોજન
ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણ
તા. 13 ઓગષ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત
લાખો લોકો દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવશે
અમદાવાદશહેરના વિજય ચાર રસ્તા ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાંતિરંગા વિતરણનો કાર્યક્રમયોજાયોહતો.જેમાં અમદાવાદકલેક્ટર,પોલીસ કમિશનર,ડીઆઈજી,ડીજી,એસીપી,ડીસીપી કક્ષાના અધિકારીઓએતિરંગા વિતરણ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. છેલ્લા 2 વર્ષથી હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં શરૂ છે,
ત્યારેસમગ્ર ગુજરાતનાશહેરોથી લઈને નાના નાના ગામડાઓમાંદરેક જગ્યા પર હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યુંછે. સમગ્ર દેશમાં 8થી 15 ઓગસ્ટ સુધી આ અભિયાનહાથ ધરવામાં આવ્યું છે. જેમાં 14હજારથી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે.આગામી તા.13ઓગષ્ટેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં અતિભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લઈને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવશે.