/connect-gujarat/media/media_files/2025/12/24/cs-2025-12-24-20-32-08.jpg)
અરવલ્લી પર્વતમાળા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમગ્ર અરવલ્લી ક્ષેત્રમાં હવે કોઈપણ નવા ખનન પટ્ટા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
અરવલ્લી પર્વતમાળાને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો આ નિર્ણય પર્યાવરણ માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. બુધવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ આદેશ જારી કરીને તમામ રાજ્યોને સૂચના આપી છે કે અરવલ્લી વિસ્તારમાં હવે કોઈપણ નવા ખનન પટ્ટા મંજૂર કરવામાં નહીં આવે. આ નિર્ણયનો સીધો હેતુ અરવલ્લીના પર્યાવરણીય સંતુલનને જાળવવાનો અને વધતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને રોકવાનો છે.
કેન્દ્રિય ર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર અરવલ્લીના પારિસ્થિતિક તંત્રના સંરક્ષણ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. મંત્રાલયે સ્વીકાર્યું છે કે અરવલ્લી પર્વતમાળા જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઉત્તર ભારતના પર્યાવરણીય સંતુલન માટે તેની હાજરી અનિવાર્ય છે. આ કારણે હવે અરવલ્લીને કોઈપણ પ્રકારના નવા ખનનથી મુક્ત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અરવલ્લી પર્વતમાળા દિલ્હીથી લઈને ગુજરાત સુધી વિસ્તરેલી છે અને આ સમગ્ર પટ્ટામાં ખનનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય અને પર્યાવરણીય ચર્ચા ચાલી રહી હતી. અનેક પર્યાવરણ સંરક્ષણ સંગઠનો દ્વારા ગેરકાયદેસર ખનનને કારણે ભૂગર્ભ જળ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને થતી હાનિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારનો આ નિર્ણય એ ચિંતાઓના જવાબરૂપે લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.