Connect Gujarat
ગુજરાત

અમરેલી: જાફરાબાદના સરકેશ્વર બીચ પર ત્રિ-દિવસીય રેતી શિલ્પ મહોત્સવનો પ્રારંભ

અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર બીચ પર ત્રિ-દિવસીય રેતી શિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર બીચ પર ત્રિ-દિવસીય રેતી શિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા અમરેલી જિલ્લાના સરકેશ્વર બીચ-જાફરાબાદ ખાતે તા ૨૯-૩૦ -૩૧ ઓકટોબરના રોજ રેતી શિલ્પ મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.તા ૨૯ ઓક્ટોબરનાના રોજ રાજુલા-જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રેતી શિલ્પ મહામહોત્સવને લોકો માટે ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે અને સ્થાનિક પ્રવાસન સ્થળ વિકાસ હેતુ આ ભવ્ય રેતી શિલ્પ મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોના ૩૦ થી ૩૫ રેતી શિલ્પ કલાકારો એ ભાગ લીધો છે. કલાકારોએ સરકેશ્વરના કાંઠે રેતીમાંથી સરદાર પટેલનું મુત્સદી ભર્યુ, સરદાર સૌમ્ય સ્વરૂપનું રેતી શિલ્પ તૈયાર કર્યુ છે. આ ઉપરાંત સુરજ દાદા, મત્સ્ય કન્યા, અંખડ ભારત, ડોલ્ફિન ઈન્ડિયા ગેટ, ગજાનન ગણપતિ,લોકલ ફીશ વગેરેના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે.

Next Story