વાપી રેલ્વે ટ્રેક પર અજાણ્યા ટીખળખોરે સિમેન્ટનો પોલ મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો..!

વલસાડ જિલ્લાના વાપી રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા ટીખળખોરે સિમેન્ટનો પોલ રેલ્વે ટ્રેક પર મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરતાં રેલ્વે વિભાગ દોડતું થયું હતું.

New Update

વલસાડ જિલ્લાના વાપી રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા ટીખળખોરે સિમેન્ટનો પોલ રેલ્વે ટ્રેક પર મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરતાં રેલ્વે વિભાગ દોડતું થયું હતું.

વલસાડ જિલ્લાના વાપી રેલ્વે સ્ટેશન નજીક ગત મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. જેમાં કોઈ ટીખળખોરે સિમેન્ટનો પોલ રેલ્વે ટ્રેક પર મુકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકેસમય સુચકતાથી આ અંગે રેલ્વે વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતીઅને ટ્રેક પર રહેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કર્યો હતો. કોઈ ટ્રેન પહોંચે તે પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં રેલ્વે વિભાગને સફળતા મળી હતી.

આજે વહેલી સવાથી જ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતાઅને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ પોલ રેલ્વે ટ્રેક પણ કોણે મુક્યો અને શું ઈરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું.! તે અંગે પણ રેલ્વે પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોચી સંબંધીત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર આ રીતે આડસો મુકીને ટ્રેન ઉથલાવી મારવા નિષ્ફળ પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે. જોકેસદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમય સૂચકતાથી આવી આડસો અંગે જાણ થતા રેલ્વે વિભાગને આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતીત્યારે ફરી એકવાર બનેલી ઘટનાને ગંભીતાથી લઈ રેલ્વે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.