આણંદ : વીજપોલ ધરાશાયી થતાં ગામડી પંથકમાં વીજપુરવઠો ખોરવાયો
એમ.જી.વી.સી.એલ. દ્વારા કામગીરી હાથ ધરાઇ, વૃક્ષ પણ ધરાશાયી, દુકાનદારોનો આબાદ બચાવ
BY Connect Gujarat19 Jun 2021 8:13 AM GMT
X
Connect Gujarat19 Jun 2021 8:13 AM GMT
આણંદ નજીક આવેલા ગામડીમાં 3 વીજપોલ ધરાશાયી થતાં ગામડી પંથકમાં વિજપુરવઠો ખોરવાયો હતો.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજયભરમાં મેઘમહેર થઈ રહી છે તો સાથે જ અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે જેની જન-જીવન પર અસર જોવા મળી રહી છે. આણંદ નજીક આવેલા ગામડીમાં વરસાદને પગલે 3 વીજપોલ ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં વિજપુરવઠો ખોરવાતા અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, બનાવની જાણ થતાં જ MGVCLની ટીમ દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત વર્ષો જૂનું વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. જેમાં આસપાસની દુકાનો અને દુકાનદારોનો આબાદ બચાવ થયો હતો.
Next Story