New Update
/connect-gujarat/media/post_banners/35a0825893f73a64c9c6f905d442f7c94ea9b744f43a3ef8abd5d2a6c3ceb8d9.webp)
અંકલેશ્વરમાં કાર્યરત બાઇસિકલ ક્લબ દ્વારા દર વર્ષે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બાઇસિકલ ક્લબ દ્વારા પાણી બચાવો અને વરસાદી પાણી બચાવો થીમ ઉપર જિલ્લાની સૌથી મોટા 7માં સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. જેમાં સાયકલિંગ અને વોકિંગનું આયોજન કરાયું હતું. આ સાયક્લોથોનમાં 10 વર્ષથી મોટી ઉંમરના સાયકલિસ્ટ અને દોડવીરોએ નોંધણી કરાવી હતી. સાયકલિંગ માટે 20 કિમી અને વોકિંગ માટે 5 કિમીનું અંતર રાખવામાં આવ્યું છે. 'જલ હૈ તો કલ હૈ' સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે સામુહીક જાગૃતિ અર્થે મોટી સંખ્યામાં જિલ્લાના લોકો જોડાઈને લોકોને મેસેજ આપ્યો હતો.