સુરેન્દ્રનગર : કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, અભયારણ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

રણ ની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને આ રણની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે

New Update
સુરેન્દ્રનગર : કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, અભયારણ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

કચ્છના નાના રણમાં 102 પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન

ફ્લેમિંગો, સ્પૂન બિલ, પેરિગ્રીન પક્ષી બન્યા આકર્ષણનું કેન્દ્ર

પક્ષીઓને જોવા માટે વિદેશી પ્રવાસીઓનો પણ ધસારો

હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આ ઠંડીની સીઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન, ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન જેવી અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ અહીં જોવા મળી રહ્યા છે. જોકે, આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે, અને રણમાં આ પક્ષીઓને જોવાનો તેઓ અચૂક લ્હાવો લેતા હોય છે.

કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે. જે 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે. આ રણ ની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને આ રણની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવી રહ્યા છે. જે લગભગ 4 મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અમે સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ રહેતું હોવાનું માનવામાં આવે છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે. જોકે, આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળે આવી રહ્યા છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.