અરવલ્લી : શિક્ષકના ત્રાસથી ધો. 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો શાળાના અન્ય વિદ્યાર્થીઓનો આક્ષેપ..!

ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા સ્કૂલનો મામલો સામે આવ્યો, શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ, આક્ષેપ સાથે શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે રોષ.

New Update

અરવલ્લી જિલ્લાના ભિલોડાની આર જે તન્ના પ્રેરણા સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં 17 વર્ષીય વિદ્યાર્થી દીપક ગુણાવતનો ગત શનિવારે ઇન્દ્રાસી જળાશયમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને સમાજના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેના પગલે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભિલોડામાં વિશાળ રેલી કાઢી વિદ્યાર્થીના મોત અંગે પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માગણી કરી હતી.

 વિદ્યાર્થીના મોત અંગે શાળામાં ફરજ બજાવતા શિક્ષક કેડી ભુધરાને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભિલોડા પોલીસ મથકે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કેમૃતક વિદ્યાર્થી જ્યારે ધો. 11માં અભ્યાસ કરતો હતોત્યારથી જ શિક્ષક કેડી ભુધરા તેને ત્રાસ આપતા હતા. અને ગત શુક્રવારે પણ આ વિદ્યાર્થીને શિક્ષકે અપમાનિત કર્યો હોવાનો અને વગર વાંકે તેને ટોર્ચર કરવામાં આવતા ધો. 12ના સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીપકે આપઘાત કર્યો હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓએ શિક્ષક કેડી ભુધરાને ફરજ મુક્ત કરવાની માંગ સાથે ન્યાયિક તપાસની માંગ કરી છે.

Read the Next Article

સાબરકાંઠા જિલ્લાના  તલોદ GIDCમાં રબર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આજે 29 જૂન, 2025ના રોજ સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ.

New Update
aag

સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આજે 29 જૂન, 2025ના રોજ સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આ ઘટના તલોદ GIDCમાં આવેલી પુષ્પક ઈન્ડિયા લિમિટેડ નામની ફેક્ટરીમાં બની, જે ટાયરની ટ્યૂબનું ઉત્પાદન કરે છે. આ આગે ફેક્ટરીમાં મોટું નુકસાન કર્યું,

પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ પુષ્પક ઈન્ડિયા લિમિટેડ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા કામદારો અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આગની જ્વાળાઓ અને ધુમાડાને જોતાં નાસભાગ મચી ગઈ, અને સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો.ઘટનાની જાણ તલોદ નગરપાલિકાને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાયર ફાઇટર્સે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો, જેના કારણે ઘટના વધુ વિકટ બનતાં અટકી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને આ અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે ફેક્ટરીમાં મોટું નાણાકીય નુકસાન થયું હોવાનું જાણવા મળે છે, જેમાં રબર ઉત્પાદનની સામગ્રી, મશીનરી, અને અન્ય સાધનોનો સમાવેશ થઈ શકે છે.ફેક્ટરીના કામદારોમાં ચિંતા આ અગ્નિકાંડની ઘટનાએ તલોદ GIDC વિસ્તારમાં રહેતા લોકો અને ફેક્ટરીના કામદારોમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આગની જ્વાળાઓ અને ધુમાડાને જોતાં એવું લાગ્યું કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જોકે, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીએ ઘટનાને વધુ ગંભીર થતાં રોકી.તલોદ નગરપાલિકાએ આ ઘટના અંગે ગંભીર નોંધ લીધી છે, અને આગના કારણોની તપાસ માટે એક ટીમ નિયુક્ત કરવામાં આવી શકે છે. પ્રાથમિક તપાસમાં આગ વિદ્યુત શોર્ટ સર્કિટ, રબરની સામગ્રીના સંગ્રહની ખામી, અથવા અન્ય કોઈ તકનીકી ખામીને કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે.