અરવલ્લી : શિક્ષકના ત્રાસથી ધો. 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો શાળાના અન્ય વિદ્યાર્થીઓનો આક્ષેપ..!

ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા સ્કૂલનો મામલો સામે આવ્યો, શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ, આક્ષેપ સાથે શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે રોષ.

New Update

અરવલ્લી જિલ્લાના ભિલોડાની આર જે તન્ના પ્રેરણા સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં 17 વર્ષીય વિદ્યાર્થી દીપક ગુણાવતનો ગત શનિવારે ઇન્દ્રાસી જળાશયમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને સમાજના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેના પગલે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભિલોડામાં વિશાળ રેલી કાઢી વિદ્યાર્થીના મોત અંગે પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માગણી કરી હતી.

Advertisment

 વિદ્યાર્થીના મોત અંગે શાળામાં ફરજ બજાવતા શિક્ષક કેડી ભુધરાને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભિલોડા પોલીસ મથકે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કેમૃતક વિદ્યાર્થી જ્યારે ધો. 11માં અભ્યાસ કરતો હતોત્યારથી જ શિક્ષક કેડી ભુધરા તેને ત્રાસ આપતા હતા. અને ગત શુક્રવારે પણ આ વિદ્યાર્થીને શિક્ષકે અપમાનિત કર્યો હોવાનો અને વગર વાંકે તેને ટોર્ચર કરવામાં આવતા ધો. 12ના સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીપકે આપઘાત કર્યો હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓએ શિક્ષક કેડી ભુધરાને ફરજ મુક્ત કરવાની માંગ સાથે ન્યાયિક તપાસની માંગ કરી છે.

Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment