વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આસામ કોર્ટે કર્યા જામીન મંજૂર, પણ હવે નવા કેસમાં ધરપકડની શક્યતા..!

વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે ગત બુધવારે ગુજરાતના પાલનપુર શહેરમાંથી જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી.

New Update
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આસામ કોર્ટે કર્યા જામીન મંજૂર, પણ હવે નવા કેસમાં ધરપકડની શક્યતા..!

PM નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની કોર્ટે જામીન આપ્યા છે. પરંતુ હવે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ બીજી FIR નોંધાતા ફરી તેઓની ધરપકડની શક્યતા વધી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે ગત બુધવારે ગુજરાતના પાલનપુર શહેરમાંથી જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. આસામના બીજેપી નેતા અરૂપ કુમાર ડે દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ જિગ્નેશ મેવાણી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

આસામ પોલીસ દ્વારા મેવાણી વિરુદ્ધ ગુનાહિત કાવતરું, બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું, શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આસામના કોકરાઝાર કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતાં. ત્યારબાદ આજે જીગ્નેશ મેવાણીને પુનઃ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં, જ્યાં દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટે જિગ્નેશ મેવાણીના જામીન મંજૂર કર્યા છે. પરંતુ હવે તેઓ વિરુદ્ધ બીજી FIR થતાં આસામ પોલીસ ફરીવાર જિગ્નેશ મેવાણીની ધરપકડ કરે તેવી શક્યતા વર્તાય રહી છે.

Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.