રાજસ્થાનથી ગુજરાત ચોરીનું ચાંદી ગળાવવા આવી રહેલ સોનીની ધરપકડ

અંબાજી પોલીસે ચોરીના ચાંદીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે

New Update

અંબાજી પોલીસે ચોરીના ચાંદીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે

અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી ગત મોડી રાત્રે 9.5 કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. 8 લાખ કિંમતની ચાંદી અને કાર જપ્ત કરી આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોતાની કારમાં ચોરીની ચાંદી લઈ જતો હતો., અંબાજી પોલીસને બાતમી મળતાં ચેક પોસ્ટ ઉપર ચેકીંગ દરમિયાન પકડાયો હતો. આરોપી રાજસ્થાનના સિરોહી જિલ્લાના ગોયલી ગામનો રહેવાસી છે. થરાદ પાસેના ગામથી અગાઉ 9.5 કિલો ચાંદીની ચોરી થઈ હતી અને રાજસ્થાનના પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ચોરેલી ચાંદી ખરીદી હતી. આરોપી અમદાવાદ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે પકડાયો હતો. સુરેશકુમાર સોની અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હતી તેની પણ કબૂલાત કરી હતી. ચોરી કરેલા માલ સાથે આરોપીને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અંબાજી પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલા મુદ્દામાલમાં 1.5 લાખ કારની કિંમત અને 6.5 લાખ ચાંદીની કિંમત એમ કુલ મળીને 8,00,000 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

Read the Next Article

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

New Update
Seventh Day School Khokhra

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Seventh Day School Khokhra

મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.