ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલા 3 દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી

New Update
ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલા 3 દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપે એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. ચૂંટણીને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું છે કે, હું ચૂંટણી નહીં લડું. જ્યારે પૂર્વશિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડસામાં પણ નહી લડે ચૂંટણી

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, હું ચૂંટણી નહીં લડું. તેમને જણાવી દઈએ કે વિજય રૂપાણી જણાવ્યું છે કે, હું ચૂંટણી નથી લડવાનો. વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા જૂના જોગીઓ જાહેરાત કરી છે તેઓ ચૂંટણી નહી લડે. વિજય રૂપાણી બાદ નીતિન પટેલે પણ જણાવ્યું છે કે, હુ ચૂંટણી નહી લડુ. નીતિન પટેલે ભાજપ પ્રેદશ પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરવા નથી ઈચ્છતો.

Read the Next Article

જૂનાગઢ પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની દુભાઈ ધાર્મિક લાગણી

ગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે..

New Update
  • પવિત્ર દામોદર કુંડની ખદબદતી હાલત

  • કુંડમાં ભળી રહ્યા છે ગટરના ગંદા પાણી

  • પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓમાં રોષ

  • મનપાનું તંત્ર કુંડની પવિત્રતા જાળવી ન શક્યું

  • શ્રદ્ધાળુઓની કુંડની દુર્દશાથી ધાર્મિક લાગણી દુભાઈ

જુનાગઢનું પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે,અને તંત્ર દ્વારા કરોડો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કુંડની પવિત્રતા જાળવી શક્યા ન હોવાનું શ્રદ્ધાળુઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે.

ઐતિહાસિક અને ધાર્મિક નગરી ગણાતા જૂનાગઢમાં ભવનાથ તળેટી રસ્તે પવિત્ર અને અતિ પ્રાચીન દામોદર કુંડ છે,જ્યાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં ભાવિકો પિતૃ તર્પણ કરવા આવે  છેપરંતુ હાલ દામોદર કુંડની દુર્દશા થઈ છેગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથીઅને ભાવિકોએ સરકારને વિનંતી સાથે જણાવ્યું કે કુંડની પવિત્રતા જળવાય તેવી કામગીરી કરવા માટે માંગ કરવામાં આવી છે.

આ પવિત્ર દામોદર કુંડની સફાઈ કરવા અગાઉ તંત્ર દ્વારા 8 કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી,પણ તંત્રના પાપે પવિત્ર કુંડ દૂષિત બન્યો છેઆજરોજ કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જિલ્લા કલેકટરને આમંત્રણ આપી આ પવિત્ર કુંડના પાણીનું ચરણામૃત લેવા પધારવા જણાવ્યું હતું પણ એક પણ પદાધિકારી કે અધિકારી ફરકયા જ નહોતા8 કરોડ જેટલી રકમ કુંડના શુદ્ધિકરણ માટે ફાળવી છતાં પણ પવિત્ર દામોદર કુંડ ગંદકીથી ખદબદી રહ્યો હોવાનું રોષપૂર્વક તેઓએ જણાવ્યું હતું.