ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે 8 બુટલેગરની કરી ધરપકડ, સસ્પેન્ડેડ પોલીસકર્મી પાસે થીજ ખરીદ્યો હતો દારૂ

પોલીસ કર્મી અને તેના મળતીયાઓ પાસેથી દારૂ લેનાર આઠ બૂટલેગરોને વાલીયાના શિલુડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
બુટલેગરની કરી ધરપકડ
ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 31 લાખનો મુદ્દામાલ સગેવગેની પોલીસ તપાસમાં પોલીસ કર્મી અને તેના મળતીયાઓ પાસેથી દારૂ લેનાર આઠ બૂટલેગરોને વાલીયાના શિલુડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જગદીશ ધનજી વસાવા પાસે ક્રાઈમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો.તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી.
જેનો ફાયદો ઉઠાવી રૂમમાંથી 31 લાખનો વિદેશીદારૂ સગેવગે કર્યો હતો. મામલામાં વાલિયા પોલીસે ગુનો નોંધતાં ભરૂચ એલસીબીના પીઆઈ મનિષ વાળાને તપાસ સોંપાઈ હતી.જે બાદ જગદિશ વસાવાની ધરપકડ કર્યાં બાદ પુછપરછ કરતાં તેના કારસામાં હોમગાર્ડ જયરાજસિંહ રાઉલજી તથા ત્રણ જીઆરડી જવાન અશ્વિન વસાવા, દેવેન્દ્ર ગામીત તેમજ સંદિપ વસાવા મદદ કરતાં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
જેમાં આ ચારેય હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રીના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ બૂટલેગરોને વેચી દેતા હોવાનું ખૂલ્યું હતું.આ મમાલે LCB ટીમે તપાસ દરમિયાન આ ગુનામાં દારૂ લેનાર બૂટલેગરો છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડથી નાસતા ફરતા હતા.
ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં વોન્ટેડ પ્રવીણ શંકરભાઈ વસાવા,દેવેન્દ્ર વસંતભાઈ વસાવા, સંજય સતિષભાઇ વસાવા, અનિલકુમાર રમેશભાઈ બૈશાની, મહેશ ઉર્ફે મસો સુકાભાઈ વસાવા,હરીશ રાજુભાઇ વસાવા, સતિષ કેસુરભાઈ વસાવા અને અનિલ ઉર્ફે લાલો વિજયભાઇ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે 
Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.