ભરૂચ : તુલસીધામ શાક માર્કેટને ખસેડવા તંત્રની પુનઃ કવાયત, જુઓ વેપારીઓને કેવી તાકીદ કરાય...

તુલસીધામ શાક માર્કેટના કારણે ટ્રાફિક જામની સમસ્યા શાકભાજીના ફેરિયાઓને રવિવાર સુધી હટી જવા તાકીદ જો આમ નહીં થયે સોમવારે વેપારીઓને ખદેડવા ચીમકી

New Update
ભરૂચ : તુલસીધામ શાક માર્કેટને ખસેડવા તંત્રની પુનઃ કવાયત, જુઓ વેપારીઓને કેવી તાકીદ કરાય...

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ શાક માર્કેટ ભોલાવ, મકતમપુર તેમજ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓના રહીશો માટે તુલસીધામ શાક માર્કેટ રોજનું શાક તેમજ અન્ય ખરીદી માટેનું સ્થળ બની ગયું છે. 25 કરતા પણ વધુ વર્ષોથી અહી શાક માર્કેટ ભરાતું આવ્યું છે. પરંતુ હવે અહીં પથારો કરી કે, લારી પર શાકભાજી વેંચતા વેપારીઓના કારણે ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાતી હોવાનું કારણ આગળ ધરી તંત્ર દ્વારા એક મહિના પૂર્વે વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં પુનઃ તંત્ર એક્શનમાં આવ્યું છે.

આજરોજ ટી.ડી.ઓ. ધ્રુવ પટેલ તેમના સ્ટાફ સાથે તુલસીધામ શાક માર્કેટ ખાતે આવી પથારા અને લારીવાળાઓને રવિવાર સુધીમાં અહીથી હટી જવા તાકીદ કરાય છે. સાથે જ મુખ્ય માર્ગ પર અંદરના ભાગે ફાળવવામાં આવેલ નવી જગ્યા પર હવે ધંધો કરવા જણાવ્યું હતું. જો તેમ નહીં થાય તો સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે કડક હાથે કાર્યવાહી કરી તમામને અહીથી ખદેડી મુકવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, હવે તુલસીધામ શાક માર્કેટના 200થી વધુ વેપારીઓ માટે કરાયેલી અન્ય વ્યવસ્થાને સ્વયંભૂ સ્વીકારવામાં આવે છે કે, પછી તંત્ર દ્વારા કડકાઈ કરવાની આવશ્યકતા પડશે કે, નહીં હવે તે જોવું રહ્યું...

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.