મન હોય તો માળવે જવાય... : અંકલેશ્વરમાં ઓટો પાર્ટ્સના વ્યવસાય સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગનો અનોખો શોખ ધરાવતા યુવાનની સિદ્ધિ…

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે. રજનિ પ્રજાપતિએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે.

New Update
  • ઓટો પાર્ટ્સના વ્યવસાય સાથે સાથે યુવકને અનોખો શોખ

  • પાર્ટ ટાઈમ પેઇન્ટિંગનો શોખ ધરાવતો ભડકોદ્રાનો યુવાન

  • યુવકે વડોદરાની MSUમાંથી કર્યો છે ફાઇન આર્ટ્સનો કોર્સ

  • વિવિધ ચિત્રો બનાવી લોકો સમક્ષ રજૂ કરી પોતાની પ્રતિભા

  • અનેક નેતાઓના સ્કેચ તૈયાર કરી ભેટ સ્વરૂપે અર્પણ કર્યા 

Advertisment

કહેવત છે કેમન હોય તો માળવે જવાય... આ કહેવતને સાર્થક કરી બતાવી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક યુવકે… ઓટો પાર્ટસની દુકાન ધરાવતા રજનિ પ્રજાપતિને વ્યવસાયની સાથે સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે. રજનિ પ્રજાપતિએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે. જોકેપરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે આ યુવકે GIDC વિસ્તારની પ્રતિન ચોકડી નજીક છેલ્લા 10 વર્ષથી ઓટો પાર્ટસની દુકાન શરૂ કરી છે. અમુક પરિસ્થિતિને લઈને રજનિ પ્રજાપતિએ વ્યવસાયની સાથે સાથે પેઇન્ટિંગ બનાવવાનું પણ યથાવત રાખ્યું છે.

આ યુવકે અલગ અલગ ચિત્રો બનાવી પોતાની કળા અને પ્રતિભાને પેઇન્ટિંગ દ્વારા રજૂ કર્યા છે. જેમાં તેઓએ સ્લેપ્સ સ્કેચ પેઇન્ટિંગવોટર કલર પેઇન્ટિંગઓઇલ પેઇન્ટિંગકેનવાસ પેઇન્ટિંગપોટ્રેઇટ પેઇન્ટિંગ જેવા ઘણા બધા સ્કેચ તૈયાર કર્યા છે. અત્યાર સુધીમાં રજનિ પ્રજાપતિએ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલમર્હૂમ સાંસદ અહેમદ પટેલકોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ સહિત અનેક નેતાઓના સ્કેચ તૈયાર કરી તેઓને ભેટ સ્વરૂપે અર્પણ પણ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆ યુવક દ્વારા અનેક ચિત્રો તૈયાર કરી લોકોને વેંચવામાં નથી આવતાપરંતુ યુવક આ ચિત્રોને ભેટમાં આપે છેત્યારે વ્યવસાયની સાથે જ પાર્ટટાઇમ પેઇન્ટિંગ વર્ક કરી પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરી છે. કહેવાય છે કેપરિશ્રમનો કોઈ ખાસ મંત્ર નથી હોતો. એતો અથાગ મહેનતદ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસનું પરિણામ છેતે અંકલેશ્વરના ભડકોદ્રા ગામના યુવક રજનિ પ્રજાપતિએ સાબિત કરી બતાવ્યુ છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment