સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ, MLA ચૈતર વસાવા PM મોદીને કરશે રજુઆત !

ચૈતર વસાવાનો આરોપ છે કે આ કામની અંદર કોઈપણ જાતના ટાઈટલ ક્લિયર જમીનોના નથી થતા સાથે સાથે અનેક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જે ભૂતકાળમાં થયા છે

New Update

ધારાસભ્ય ચૈતર વસાવાનો વધુ એક આક્ષેપ

Advertisment

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામમાં થાય છે ભ્રષ્ટાચાર

વિવિધ પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરશે રજુઆત

એકતા દિવસ અંતર્ગત ચાલી રહ્યા છે વિકાસના કાર્યો

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટ અને નવા નવા કામો ચાલી રહ્યા છે ત્યારે કામોને લઈને તેની અંદર ભ્રષ્ટાચાર થઈ હોવાનો આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ  કર્યો છે.
Advertisment
31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયામાં થાય છે ત્યારે હાલમાં આ તૈયારીના ભાગરૂપે અનેક નવા નવા પ્રોજેક્ટોના કામ ચાલી રહ્યા છે. રોડ રસ્તાનું રંગ રોગાન ચાલી રહ્યું છે. પેવર બ્લોક લગાડવાના નવા પ્રોજેક્ટના કામ,ડામર રોડ સહિતના કામો ચાલે છે ત્યારે  કામો બાબતે ધારાસભ્ય  ચૈતર વસાવાનો આરોપ છે કે આ કામની અંદર કોઈપણ જાતના ટાઈટલ ક્લિયર જમીનોના નથી થતા સાથે સાથે અનેક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જે ભૂતકાળમાં થયા છે તેવા ભ્રષ્ટાચારો અત્યારે આ કામોમાં થઈ રહ્યા છે..
 અને આ વિસ્તારના તમામ મુદ્દાઓને લઈને તેઓ વડાપ્રધાનને પત્ર પણ લખશે અને વડાપ્રધાન જ્યારે કેવડિયા આવશે ત્યારે કેવડિયાના પડતર પ્રશ્નો માટે તેઓ તેમને રજૂઆત માટે સમય પણ માંગનાર છે..
Advertisment
Read the Next Article

ભરૂચ : તમામ તાલુકા મથકો પર સિવિલ ડિફેન્સની તાલીમનો આજથી પ્રારંભ, ઉત્સાહભેર લોકો જોડાયા

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.

New Update

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કરાયુ આયોજન

Advertisment

સિવિલ ડિફેન્સ અંગેની તાલીમ યોજાય

તમામ તાલુકા મથકો પર આયોજન

લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

અધિકારીઓએ પણ આપી હાજરી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
Advertisment
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન જે.પી. આર્ટસ કોલેજ ભોલાવ ખાતે કરાયું હતું.આ તાલીમમાં નાયબ કલેક્ટર નીકુંજ પેટલ દ્નારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું.આ તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી લાડુમોર, તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment