ભરૂચ: જંબુસરના કાવી ગામે 11 વર્ષીય બાળકી પર ધારીયા વડે હુમલો

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે 11 વર્ષીય બાળકી પર ધાર્યા વડે હુમલો કરાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

New Update

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે 11 વર્ષીય બાળકી પર ધાર્યા વડે હુમલો કરાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા મહેન્દ્ર ગોહિલની 11 વર્ષય બાળકી જાનુ તેમના ફળિયામાં સાયકલ ચલાવી રહી હતી અને ત્યારબાદ તેણે સાયકલ તેના ઘરની બહાર મૂકી હતી આ દરમિયાન પાડોશમાં રહેતા અજીત ગોહિલ નામના યુવાને બાળકીને ફળિયામાં સાયકલ ન ચલાવવાનું કહી તેના પર ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી.બાળકીનો અવાજ સાંભળી તેના પિતા ઘરની બહાર દોડી આવ્યા હતા.હુમલામાં બાળકીને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાની સાથે જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી છે
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.