અંકલેશ્વર: કોસમડી તળાવ પાસે થયેલ મારામરીની ઘટનામાં વધુ 3 આરોપી ઝડપાયા

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે થયેલ મારામારીની ઘટનામાં સંડોવાયેલ વધુ ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા 

author-image
By Connect Gujarat Desk
Screenshot_2024
New Update

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે થયેલ મારામારીની ઘટનામાં સંડોવાયેલ વધુ ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા 

ગત શનિવારની સાંજે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વૃંદ રેસિડેન્સીમાં રહેતા પ્રદીપ પ્રવીણ સીલું અને તેઓના ભાગીદાર જિગ્નેશ ચીમન પટેલ અને મિતુલ મનસુખ દવેને નજીવા મુદ્દે યુસુફ ઉર્ફે લેન્ધો યાકુબ,માઝ બસીર પટેલ,ઈસ્માઈલ બસીર પટેલ,બસીર પટેલ અને યાસીન યાકુબ બદાત સહીત નવ લોકો લોખંડની પાઇપો લઈ આવી માથાકૂટ કરી અપશબ્દો ઉચ્ચારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.આ મારામારીમાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.મારામારી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી ગતરોજ હુમલાખોર બસીર ઈસ્માઈલ આદમ પટેલ,ઈસ્માઈલ બસીર ઈસ્માઈલ પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે આજરોજ વધુ ત્રણ ઈસમો સાજિદ મોહમંદ બસીર ઈસ્માઈલ પટેલ અને યુસુફ ઉર્ફે લેન્ધો યાકુબ બદાત,મોહમંદ અસલમ સિરાજ અહમદ બેલીમને ઝડપી પાડ્યા હતા.
#અંકલેશ્વર #કોસમડી તળાવ #મારામરી #ઘટના #3 આરોપી ઝડપાયા
Here are a few more articles:
Read the Next Article