અંકલેશ્વર: GIDCની સુંદરતામાં વધુ એક મોરપીંછ, ગદાસર્કલનું કરાયું નિર્માણ

ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાતના રહેણાંક વિસ્તારની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે અંકલેશ્વરના ગોકુલધામ ચાર રસ્તા નજીક ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે

New Update

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોકુલધામ ચાર રસ્તા ખાતે ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાતના રહેણાંક વિસ્તારની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે અંકલેશ્વરના ગોકુલધામ ચાર રસ્તા નજીક ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે ગાર્ડન સર્વિસીસના પ્રાંજલ શ્રીવાસ્તવની સ્પોન્સરશિપ હેઠળ આ સ્થળે ગદા અને ધનુષની પ્રતિકૃતિ સાથે સુંદર સર્કલ બનાવવામાં આવ્યું છે જેનું આજરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોટિફાઇડ એરિયા ઓથોરીટીના ચેરમેન હર્ષદ પટેલ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ અશોક દુધાત, હરેશ પટેલ સહિત ઉદ્યોગપતિઓ તેમજ આમંતત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ ચાર રસ્તાને હવેથી ગદા સર્કલ તરીકે ઓળખાશે.
Read the Next Article

ભરૂચ: મોડી રાત્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે જેના કારણે ઉકળાટ અને બફારાનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગતરોજ મોડી રાત્રે ભરૂચ

New Update
heavy rain

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે જેના કારણે ઉકળાટ અને બફારાનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગતરોજ મોડી રાત્રે ભરૂચ શહેરમાં વરસાદ વરસ્યો હતો.

પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના ઝાડેશ્વર, કસક, લીંકરોડ શક્તિનાથ અને પાંચબત્તી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.આ તરફ વીતેલા 24 કલાકમાં સૌથી વધુ 1.5 ઈંચ વરસાદ વાલિયા પંથકમાં નોંધાયો છે. જોકે મંગળવારની સવારથી જ વાતાવરણ ફરી ચોખ્ખું થઈ ગયું હતું અને મેઘરાજાની હાજરી નોંધાઈ ન હતી