અંકલેશ્વર : GIDCમાં શ્રીજીની આગમન યાત્રામાં આખલો ઘુસી જતા અફરાતફરી, 8 લોકો થયા ઇજાગ્રસ્ત

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં ગતરોજ રાત્રીના સમયે શ્રીજીની આગમન યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

New Update
vlcsnap-2025-08-27-09h04m17s778

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં ગતરોજ રાત્રીના સમયે શ્રીજીની આગમન યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

અંકલેશ્વર જીઆઇડીસીના સીઓપી 7 ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી. 

આ દરમિયાન યાત્રામાં એક આખલો ઘૂસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા 4 મહિલા સહિત 8 લોકોને અડફેટે લીધા હતા.જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલાના આતંકના કારણે 8 થી 10 લોકો ઇજાગ્રત થયા હતા જેઓને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે અચાનક જ આખલો ઘૂસી આવતા આગમનયાત્રામાં દોડધામ જવા પામી હતી અને જેમા 8 થી 10લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.

Latest Stories