અંકલેશ્વર: બચપન પ્લે સ્કુલના બાળકોએ વિવિધ ગણેશ પંડાલની લીધી મુલાકાત

બાળકોએ અંકલેશ્વરના માર્કંડેશ્વર યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવ અને શક્તિનગર સ્થિત ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી જ્યાં તેઓને પ્રસાદ રૂપે વિવિધ સામગ્રીનું વિતરણ પણ કરાયું

New Update

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉજવણી

બચપન પ્લે સ્કૂલના બાળકો પહોંચ્યા દર્શને

વિવિધ ગણેશ પંડાલની લીધી મુલાકાત

બાળકોને પ્રસાદનું કરાયુ વિતરણ

શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ બચપન પ્લે સ્કૂલના બાળકોને વિવિધ ગણેશોની મુલાકાત કરાવવામાં આવી હતી. અંકલેશ્વરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાના ભૂલકાઓ ભારતીય સંસ્કૃતિને જાણે તે હેતુથી અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ બચપન પ્લે સ્કૂલના બાળકોને વિવિધ ગણેશ પંડાલની મુલાકાત કરાવવામાં આવી હતી..
બાળકોએ અંકલેશ્વરના માર્કંડેશ્વર યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવ અને શક્તિનગર સ્થિત ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી જ્યાં તેઓને પ્રસાદ રૂપે વિવિધ સામગ્રીનું વિતરણ પણ કરાયું હતું સદર કાર્યક્રમમાં શાળાના ડાયરેકટર વિમલ પાઠક, કાઉન્સિલર કૃષિદા ઘીવાલા,કોર્ડીનેટર રિચા અભિષેક ગુંજન અને શાળા પરિવાર જોડાવ્યો હતો
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.