અંકલેશ્વર: બચપન પ્લે સ્કુલના બાળકોએ વિવિધ ગણેશ પંડાલની લીધી મુલાકાત

બાળકોએ અંકલેશ્વરના માર્કંડેશ્વર યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવ અને શક્તિનગર સ્થિત ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી જ્યાં તેઓને પ્રસાદ રૂપે વિવિધ સામગ્રીનું વિતરણ પણ કરાયું

New Update

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉજવણી

બચપન પ્લે સ્કૂલના બાળકો પહોંચ્યા દર્શને

વિવિધ ગણેશ પંડાલની લીધી મુલાકાત

બાળકોને પ્રસાદનું કરાયુ વિતરણ

શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ બચપન પ્લે સ્કૂલના બાળકોને વિવિધ ગણેશોની મુલાકાત કરાવવામાં આવી હતી. અંકલેશ્વરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાના ભૂલકાઓ ભારતીય સંસ્કૃતિને જાણે તે હેતુથી અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ બચપન પ્લે સ્કૂલના બાળકોને વિવિધ ગણેશ પંડાલની મુલાકાત કરાવવામાં આવી હતી..
બાળકોએ અંકલેશ્વરના માર્કંડેશ્વર યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવ અને શક્તિનગર સ્થિત ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી જ્યાં તેઓને પ્રસાદ રૂપે વિવિધ સામગ્રીનું વિતરણ પણ કરાયું હતું સદર કાર્યક્રમમાં શાળાના ડાયરેકટર વિમલ પાઠક, કાઉન્સિલર કૃષિદા ઘીવાલા,કોર્ડીનેટર રિચા અભિષેક ગુંજન અને શાળા પરિવાર જોડાવ્યો હતો
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું