અંકલેશ્વર : GIDC વિસ્તારમાં એકસાથે 6 જેટલા વૃક્ષોનું નિકંદન કરાતા વિવાદ, હાઉસિંગ એસો. પ્રમુખમાં રોષ...

એકસાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છે, અને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વૃક્ષ નિકંદન થતા વિવાદ સર્જાયો

  • એકસાથે 6 જેટલા વૃક્ષોને પરવાનગી વગર કાપી નાખ્યાનો આક્ષેપ

  • અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ દ્વારા કરાયા આક્ષેપ

  • નોટીફાઈડ અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ

  • વૃક્ષ નિકંદન કરનારને દંડ ફટકારવા માંગ : હાઉસિંગ એસો. પ્રમુખ 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક એકસાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છેઅને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક આવેલ 6 જેટલા વૃક્ષનું નિકંદન કરાતા વિવાદ સર્જાયો છે.

અંકલેશ્વર GIDC વિસ્તારમાં રોડની બાજુમાં ઉછરેલા લીલાછમ વૃક્ષને કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયા દ્વારા અંકલેશ્વર નોટીફાઈડ ફિલ્ડ ઓફિસરને આ મામલે પુછવામાં આવતા તેઓને આ વાતની જાણ ન હોવાનું જણાવ્યુ હતું.

સમગ્ર મામલે અતુલ માકડિયા જણાવ્યુ હતું કેનોટિફાઇની ફરતી વાનને પુછવામાં આવતા તેઓને પણ આ વાતની જાણ ન હોવાની વાત કહી હતીઅને જે કોઈ દ્વારા પણ 6 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.