-
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વૃક્ષ નિકંદન થતા વિવાદ સર્જાયો
-
એકસાથે 6 જેટલા વૃક્ષોને પરવાનગી વગર કાપી નાખ્યાનો આક્ષેપ
-
અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ દ્વારા કરાયા આક્ષેપ
-
નોટીફાઈડ અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ
-
વૃક્ષ નિકંદન કરનારને દંડ ફટકારવા માંગ : હાઉસિંગ એસો. પ્રમુખ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક એકસાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છે, અને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક આવેલ 6 જેટલા વૃક્ષનું નિકંદન કરાતા વિવાદ સર્જાયો છે.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં રોડની બાજુમાં ઉછરેલા લીલાછમ વૃક્ષને કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયા દ્વારા અંકલેશ્વર નોટીફાઈડ ફિલ્ડ ઓફિસરને આ મામલે પુછવામાં આવતા તેઓને આ વાતની જાણ ન હોવાનું જણાવ્યુ હતું.
સમગ્ર મામલે અતુલ માકડિયા જણાવ્યુ હતું કે, નોટિફાઇની ફરતી વાનને પુછવામાં આવતા તેઓને પણ આ વાતની જાણ ન હોવાની વાત કહી હતી, અને જે કોઈ દ્વારા પણ 6 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.