અંકલેશ્વર : GIDC વિસ્તારમાં એકસાથે 6 જેટલા વૃક્ષોનું નિકંદન કરાતા વિવાદ, હાઉસિંગ એસો. પ્રમુખમાં રોષ...

એકસાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છે, અને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વૃક્ષ નિકંદન થતા વિવાદ સર્જાયો

  • એકસાથે 6 જેટલા વૃક્ષોને પરવાનગી વગર કાપી નાખ્યાનો આક્ષેપ

  • અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ દ્વારા કરાયા આક્ષેપ

  • નોટીફાઈડ અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ

  • વૃક્ષ નિકંદન કરનારને દંડ ફટકારવા માંગ : હાઉસિંગ એસો. પ્રમુખ 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક એકસાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છેઅને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક આવેલ 6 જેટલા વૃક્ષનું નિકંદન કરાતા વિવાદ સર્જાયો છે.

અંકલેશ્વર GIDC વિસ્તારમાં રોડની બાજુમાં ઉછરેલા લીલાછમ વૃક્ષને કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયા દ્વારા અંકલેશ્વર નોટીફાઈડ ફિલ્ડ ઓફિસરને આ મામલે પુછવામાં આવતા તેઓને આ વાતની જાણ ન હોવાનું જણાવ્યુ હતું.

સમગ્ર મામલે અતુલ માકડિયા જણાવ્યુ હતું કેનોટિફાઇની ફરતી વાનને પુછવામાં આવતા તેઓને પણ આ વાતની જાણ ન હોવાની વાત કહી હતીઅને જે કોઈ દ્વારા પણ 6 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.