New Update
વિજયાદશમીના અવસરની ભવ્ય ઉજવણી કરાય
અંકલેશ્વર ONGC કોલોની ખાતે ભવ્ય રામલીલા યોજાય
રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરાયું
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો-નગરજનો જોડાયા
ભવ્ય આતાશબાજી સાથે આકાશ ઝગમગી ઉઠ્યું
આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
જગત જનની માઁ જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી સાથે જ દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે. એકતાના ભાવ સાથે દશેરાના તહેવાની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ONGC કોલોની ખાતે રામલીલા સહિત રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ONGC કોલોની ખાતે છેલ્લા 49 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજે દશેરા પર્વ પર અસત્ય પર સત્યની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ONGC પરિવારના સભ્યો, ભાવિક ભક્તો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories