New Update
વાહન ચાલકો માટે મોટા સમાચાર
પુન ગામથી કિમ સુધી એક્સપ્રેસ વે શરૂ થશે
31મી ડિસેમ્બર સુધીમાં માર્ગ શરૂ થઈ શકે છે
નેશનલ હાઇવે ઓથોરીટીની કામગીરી અંતિમ તબક્કામાં
સેંકડો વાહનચાલકોને મળશે રાહત
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે પર નેશનલ હાઇવે ઓથટોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પૂનગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંત ભાગમાં શરૂ થઇ શકે છે.
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે.આ અંગે હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે કીમ સુધીનો માર્ગ 31 ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે.અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર- હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરતા હતા જો કે પુનગામથી કીમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ ગયા બાદ વાહનચાલકો સીધા કીમ સુધી જઇ શકશે ત્યાર બાદ ત્યાંથી બારડોલીના એના સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે.આમ વાહનચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે.
Latest Stories