અંકલેશ્વર: GIDCમાં હવેલી ચોકનું લોકાર્પણ કરાયુ,ચોકમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા ગાય-સુદર્શન ચક્રની પ્રતિકૃતિની સ્થાપના

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ આપવામાં આવ્યું છે ત્યારે આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું નિર્માણ

  • જીઆઈડીસીમાં હવેલી ચોકનું નિર્માણ

  • ગાય-સુદર્શન ચક્રની પ્રતિમાનું સ્થાપન

  • વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલીચોકનું નિર્માણ કરાયુ

  • આગેવાનો અને વૈષ્ણવજનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ આપવામાં આવ્યું છે ત્યારે આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ ચોક અને ગાર્ડનનું નામકરણ કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી નજીક વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલી ચોકનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા ગાય માતા, મોરપીંછ, વાંસળી અને  સુદર્શન ચક્રની સ્થાપના કરવામાં આવી છે જેનું આજરોજ પૂજ્ય અનીરુદ્ધલાલજીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.હવેથી આ ચોક હવેલી ચોક તરીકે ઓળખાશે.
સનાતન સંસ્કૃતિના દર્શન થાય અને લોકો વૈદિક સંસ્કૃતિને વળગી રહે તે હેતુસર આ ચોકનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, નોટિફાઇડ એરીયા ઓથો.ના ચેરમેન અમૂલક પટેલ ઉદ્યોગ મંડળની વોટર કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયા સહિત વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચોકના નિર્માણથી જીઆઇડીસી વિસ્તારની શોભામાં અભિવૃદ્ધિ થશે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.