અંકલેશ્વર: GIDCમાં હવેલી ચોકનું લોકાર્પણ કરાયુ,ચોકમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા ગાય-સુદર્શન ચક્રની પ્રતિકૃતિની સ્થાપના

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ આપવામાં આવ્યું છે ત્યારે આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું નિર્માણ

  • જીઆઈડીસીમાં હવેલી ચોકનું નિર્માણ

  • ગાય-સુદર્શન ચક્રની પ્રતિમાનું સ્થાપન

  • વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલીચોકનું નિર્માણ કરાયુ

  • આગેવાનો અને વૈષ્ણવજનો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ આપવામાં આવ્યું છે ત્યારે આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ ચોક અને ગાર્ડનનું નામકરણ કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી નજીક વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલી ચોકનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા ગાય માતા, મોરપીંછ, વાંસળી અને  સુદર્શન ચક્રની સ્થાપના કરવામાં આવી છે જેનું આજરોજ પૂજ્ય અનીરુદ્ધલાલજીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.હવેથી આ ચોક હવેલી ચોક તરીકે ઓળખાશે.
સનાતન સંસ્કૃતિના દર્શન થાય અને લોકો વૈદિક સંસ્કૃતિને વળગી રહે તે હેતુસર આ ચોકનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, નોટિફાઇડ એરીયા ઓથો.ના ચેરમેન અમૂલક પટેલ ઉદ્યોગ મંડળની વોટર કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયા સહિત વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચોકના નિર્માણથી જીઆઇડીસી વિસ્તારની શોભામાં અભિવૃદ્ધિ થશે.
Advertisment
Latest Stories