-
અંકલેશ્વર જીઆઈડીસીમાં આયોજન
-
હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો
-
યોગ દિવસના 100 દિવસની પણ કરાય ઉજવણી
-
બ્રહ્મ સમાજ- ઇનરવહીલ ક્લબનું આયોજન
-
આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સીનીયર સીટીઝન હોલ ખાતે ગાંધીનગર આયુષ્ય વિભાગની કચેરી, ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના માર્ગદર્શન અનુસાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર એકમ અને ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તબીબો દ્વારા દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી તેનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ વિશ્વ યોગ દિવસની 100 દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોગાસનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય,અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સોશિયલ વેલ્ફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મંત્રી હરેશ પટેલ, નરેન્દ્રભાઈ ભટ્ટ,બ્રહ્મ સમાજ મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન જોશી, ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ હર્ષાબેન જકાસણીયા સહિતના હોદ્દેદારો તેમજ આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા.