અંકલેશ્વર: GIDCમાં હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને ઈનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આયોજન

  • હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો

  • યોગ દિવસના 100 દિવસની પણ કરાય ઉજવણી

  • બ્રહ્મ સમાજ- ઇનરવહીલ ક્લબનું આયોજન

  • આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને ઈનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સીનીયર સીટીઝન હોલ ખાતે ગાંધીનગર આયુષ્ય વિભાગની કચેરી, ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના માર્ગદર્શન અનુસાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર એકમ  અને ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તબીબો દ્વારા દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી તેનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ વિશ્વ યોગ દિવસની 100 દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોગાસનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય,અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સોશિયલ વેલ્ફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મંત્રી હરેશ પટેલ, નરેન્દ્રભાઈ ભટ્ટ,બ્રહ્મ સમાજ મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન જોશી, ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ હર્ષાબેન જકાસણીયા સહિતના હોદ્દેદારો તેમજ આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: આમોદ નગરમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી મળશે મુક્તિ, નગર સેવા સદન દ્વારા સાફ સફાઈ શરૂ કરાય

નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય. 

New Update
Amod nagarpalika
ભરૂચ આમોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતાની ઘટનાઓ સામે આવતા શહેરીજનોમાં ચિંતા પ્રસરી હતી. નાગરિકોએ આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ અંગે સમાચાર મીડિયામાં પ્રકાશિત થતાં જ નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક પગલાં ભરી કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.નગરપાલિકા સ્ટાફ અને સફાઈ કામદારો દ્વારા  શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
નગરપાલિકા એસ.આઈ.ના જણાવ્યા મુજબ મારુવાસ વિસ્તારમાં ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડા અને અન્ય કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે દરબારી હોલ પાસેની ગટરની પાઈપલાઈનમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ, ચમચી અને કંતાન જેવી સામગ્રી મળી આવી હતી, જેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ થયો હતો.
નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી આવી વસ્તુઓ ગટર પાઈપલાઈન સુધી ન પહોંચે અને ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય.