અંકલેશ્વર: જે એન પીટીટ લાયબ્રેરીમાં પૌરાણિક વાર્તાકથન કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર: જે એન પીટીટ લાયબ્રેરીમાં પૌરાણિક વાર્તાકથન કાર્યક્રમ યોજાયો

New Update
 CG Ajay Attachments 12:27 PM (32 minutes ago) to me    અંકલેશ્વર: જે એન પીટીટ લાયબ્રેરીમાં  પૌરાણિક વાર્તાકથન કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી અને રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા લાયબ્રેરી ખાતે પૌરાણિક વાર્તા કથનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વામન જયંતી અને કલ્કિ દ્વાદશીના રોજ બાળકોને ગણપતિ, વામન અવતાર, કલ્કિ અવતાર અને મહાવીર ભગવાનના જીવન પ્રસંગોની વાતો સમજાવવામાં આવી હતી.
બાળકો સનાતન સંસ્કૃતિ અંગે માહિતગાર થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાળા,સેક્રેટરી શિલ્પા પટેલ,ડો.જિનલ પટેલ સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.