અંકલેશ્વર : જનસેવા પ્રભુસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય, કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપતા ઠંડા પીણાંનું વિતરણ...

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે જનસેવા પ્રભુસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-અંકલેશ્વર દ્વારા મુસાફરોને વિનામુલ્યે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું.......

New Update
  • જનસેવા પ્રભુસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું સેવાકાર્ય

  • કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા માટે સેવાકાર્ય

  • રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને ઠંડા પીણાંનું વિતરણ કરાયું

  • ગરમીમાં માનવતાનું ઠંડક ભરેલું દ્રષ્ટાંત પણ જોવા મળ્યું

  • મુસાફરોએ પણ ટ્રસ્ટ સભ્યોના સેવાકાર્યને ખૂબ બિરદાવ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જનસેવા પ્રભુસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને વિનામુલ્યે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચો ચઢી રહ્યો છેત્યારે અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ તાપમાન લોકોના ધીરજની કસોટી લે તેવા સ્તરે પહોંચી ગયું છે. આવા સમયમાંમુસાફરો માટે રાહતરૂપ સાબિત થયું એક સુંદર સેવાકાર્ય. અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે જનસેવા પ્રભુસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-અંકલેશ્વર દ્વારા મુસાફરોને વિનામુલ્યે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુસાફરો માટે રાહતદાયક સાબિત થતી આ સેવા દરમિયાન શીતળ પીણાં ઉપલબ્ધ કરાવવામાં આવતા લોકોએ આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. ટ્રસ્ટના સબયા રજનીશસિંહ અને તેમના સાથીદારો દ્વારા યોજાયેલ આ પ્રસંગ માત્ર પીણાં પૂરતો સીમિત નહીં રહ્યોતે એક ઉદ્દાહરણ બની રહ્યો છે કે યથાર્થ માનવતા આજે પણ જીવંત છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.