-
જનસેવા પ્રભુસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું સેવાકાર્ય
-
કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા માટે સેવાકાર્ય
-
રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને ઠંડા પીણાંનું વિતરણ કરાયું
-
ગરમીમાં માનવતાનું ઠંડક ભરેલું દ્રષ્ટાંત પણ જોવા મળ્યું
-
મુસાફરોએ પણ ટ્રસ્ટ સભ્યોના સેવાકાર્યને ખૂબ બિરદાવ્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જનસેવા પ્રભુસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને વિનામુલ્યે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચો ચઢી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ તાપમાન લોકોના ધીરજની કસોટી લે તેવા સ્તરે પહોંચી ગયું છે. આવા સમયમાં, મુસાફરો માટે રાહતરૂપ સાબિત થયું એક સુંદર સેવાકાર્ય. અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે જનસેવા પ્રભુસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-અંકલેશ્વર દ્વારા મુસાફરોને વિનામુલ્યે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુસાફરો માટે રાહતદાયક સાબિત થતી આ સેવા દરમિયાન શીતળ પીણાં ઉપલબ્ધ કરાવવામાં આવતા લોકોએ આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. ટ્રસ્ટના સબયા રજનીશસિંહ અને તેમના સાથીદારો દ્વારા યોજાયેલ આ પ્રસંગ માત્ર પીણાં પૂરતો સીમિત નહીં રહ્યો, તે એક ઉદ્દાહરણ બની રહ્યો છે કે યથાર્થ માનવતા આજે પણ જીવંત છે.