અંકલેશ્વર: લ્યો બોલો હવે ONGC બ્રિજના રોડ પર તિરાડ પડી !

બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા.ઓ.એન.જી.સી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો છે

New Update
અંકલેશ્વરમાં આવેલો છે ONGC બ્રિજ
બ્રિજના ડામર માર્ગ પર પડી તિરાડ
અગાઉ પ્રોટેકશન વોલમાં તિરાડ જોવા મળી હતી
બ્રિજની કામગીરી સામે અનેક સવાલ
તાજેતરમાં જ વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે બ્રિજ
તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે ખુલ્લા મુકાયેલા અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડ નજરે પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

અંકલેશ્વરનો ઓએનજીસી ઓવરબ્રીજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદોમાં રહે છે. તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓ.એન.જી.સી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડો પડી છે.અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેમા બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોય એવું લાગી રહ્યું છે. માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં જ તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.

આ અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા.ઓ.એન.જી.સી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો છે  પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે

Latest Stories