અંકલેશ્વર: સાહિત્ય ફોરમ દ્વારા કવિ સંમેલનનું કરાયુ આયોજન, કવિતાઓનો રસથાળ પીરસાયો

અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • માનવ મંદિર હોલ ખાતે આયોજન

  • કવિ સંમેલનનું આયોજન કરાયું

  • કવિતાઓનો રસથાળ પીરસાયો

  • સાહિત્ય ફોરમ દ્વારા આયોજન

અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.
અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને જિલ્લાના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.આ કવિ સંમેલનમાં સંજય પાંડે, ઊર્મિલ પંડ્યા, ડોક્ટર દેવશરણ સિંહ, સુરેન્દ્ર ભોલા ,દક્ષ આહીર, મનીષા દુધાત,ડોક્ટર મધુ ગોડ, રાજેન્દ્ર મહેરા, દેવાનંદ જાદવ અને ભદ્રેશ પટેલ સહિતના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો જેને ઉપસ્થિતોએ માણ્યો હતો. અંકલેશ્વર સાહિત્ય ફોરમદ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસો કરાય છે.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

New Update
  • ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ 

  • બાળકોએ કર્યું સરાહનીય કાર્ય

  • રસ્તા પરના ખાડા જાતે પૂર્યા

  • વાહનચાલકોને મળી રાહત

  • બાળકોની કામગીરી લોકોએ આવકારી

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆતથી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા.  શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?