અંકલેશ્વર: સાહિત્ય ફોરમ દ્વારા કવિ સંમેલનનું કરાયુ આયોજન, કવિતાઓનો રસથાળ પીરસાયો

અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • માનવ મંદિર હોલ ખાતે આયોજન

  • કવિ સંમેલનનું આયોજન કરાયું

  • કવિતાઓનો રસથાળ પીરસાયો

  • સાહિત્ય ફોરમ દ્વારા આયોજન

અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.
અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને જિલ્લાના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.આ કવિ સંમેલનમાં સંજય પાંડે, ઊર્મિલ પંડ્યા, ડોક્ટર દેવશરણ સિંહ, સુરેન્દ્ર ભોલા ,દક્ષ આહીર, મનીષા દુધાત,ડોક્ટર મધુ ગોડ, રાજેન્દ્ર મહેરા, દેવાનંદ જાદવ અને ભદ્રેશ પટેલ સહિતના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો જેને ઉપસ્થિતોએ માણ્યો હતો. અંકલેશ્વર સાહિત્ય ફોરમદ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસો કરાય છે.
Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.