અંકલેશ્વર : ટ્રાફિક સમસ્યા નિવારણ માટે તંત્રની મેરેથોન મીટીંગ,રોડને ચક્કાજામ મુક્ત કરવાની કવાયત

અંકલેશ્વર વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે,અને એક મેરેથોન મિટિંગ કરીને સ્થળ મુલાકાત કરવામાં આવી હતી

New Update

અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા

તંત્ર દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરવા કવાયત

વહીવટી તંત્રએ વિવિધ વિભાગો સાથે કરી મિટિંગ

ટ્રાફિકથી ધમધમતા સ્થળોની લીધી મુલાકાત

ભારે વાહનો પર પ્રતિબંધની શક્યતા વ્યક્ત કરાઈ

અંકલેશ્વર વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે,અને એક મેરેથોન મિટિંગ કરીને સ્થળ મુલાકાત કરવામાં આવી હતી,જેમાં ચૌટા નાકા,મહાવીર ટર્નીંગ,વાલિયા ચોકડી પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો  હતો.

અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ડી.એમઅંકલેશ્વર ડી.વાય.એસ.પી,મામલતદાર,એન.એચ.આઈ.એ,આર.એન.બી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજી હતી.જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે ચૌટા નાકા,પીરામણ નાકા,ઓએનજીસી ઓવરબ્રિજ સહિત સ્થળ પર તપાસ કરી હતી.

જ્યાં સૌથી વધુ ચૌટા નાકા પર ટ્રાફિક ભારણ જોવા મળ્યું હતું. શહેરમાં ભારદારી વાહનોને લઇ ટ્રાફિક સમસ્યા સર્જાય છે.જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા હેવી વ્હીકલ માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધી તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ મહાવીર ટર્નીંગ,પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી.જેમાં સૌથી વધુ મહાવીર ટર્નીંગ પર અને વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો. આ કવાયત દરમિયાન હાઇવેમાં અને શહેરમાં ડાઈવર્ઝન કઈ રીતે આપવું,ક્યાં વન વે માર્ગ કરવો,ડિવાઈડર ક્યાં નાના કરવા,દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઇ કન્ટેનર માટે અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વિકલ્પની ચકાસણી  કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ વિકલ્પ આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શન પ્લાન અમલીકરણ કરવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)