અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા રકતદાન શિબિરનું આયોજન

યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે

New Update

શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હૉલ ખાતે 65મો સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું. દિવસ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવાનો લક્ષયાંક રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે યુવા મિત્ર મંડળના પ્રમુખ પ્રમુખ હિંમત દેવાણી,પ્રોજેકટ ચેરમેન ધર્મેશ ડોબારીયા,સભ્ય મયુર કોટડીયા,પ્રદીપ માલવીયા અને કાળુભાઇ કુંભાણી તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories