અંકલેશ્વર : ગ્રામ્ય પોલીસ અને પાનોલી પોલીસે તેરા તુજકો અભિયાન અંતર્ગત લોકોને મોબાઈલ તેમજ ફ્રોડમાં ગયેલ રૂપિયા પરત અપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન બાઈક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં

New Update
MixCollage-01-Oct-2025-09-11-AM-7907
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન બાઈક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો હતો. આ તરફ ગ્રામ્ય પોલીસે સાયબર ફ્રોડમાં ગયેલ રૂ.9 હજારની રોકડ રકમ માલિકને પરત મેળવી આપી હતી
Latest Stories