New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
શરીરના દુખાવાના નિદાનનો કેમ્પ યોજાયો
નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન
અંકલેશ્વરના સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરીરના દુખાવા તેમજ રોગો માટે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે શરીરના દુખાવા તેમજ રોગો માટે 9 દિવસનો વિનામૂલ્યે હેલ્થ અવરનેસ કેમ્પનું આયોજન આંબોલી રોડ પર કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.આ પ્રસંગે સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories