અંકલેશ્વર: આરોગ્ય વિભાગ દ્વારા “વિશ્વ સિકલસેલ દિવસ”ની વિશેષ ઉજવણી કરાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે  વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતેવિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ  સિકલસેલ ડે દર વર્ષે તા. 19 જૂનના રોજ  ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી તા. 19 જૂનના રોજ વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્યમાં સિકલસેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે સિકલસેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. સિકલસેલ એક આનુવંશિક કેવારસા ગત રોગ છેત્યારે  વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર રામકુંડ નજીક આવેલ  આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સિકલસેલ એનેમિયાની ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 વર્ષથી લઇને 40 વર્ષ સુધીના લોકોની તપાસ કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.