અંકલેશ્વર: આવતીકાલે નવમી સાઇકલોવોકાથોન યોજાશે, 1 હજારથી વધુ લોકો લેશે ભાગ

અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી સાઇકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000થી વધુ સાયકલ હીરો તેમજ દોડવીરો જોડાશે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • સાયકલોવોકાથોન યોજાશે

  • 1 હજારથી વધુ લોકો લેશે ભાગ

  • પર્યાવરણની જાળવણીના હેતુસર આયોજન

અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી સાઇકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000થી વધુ સાયકલ હીરો તેમજ દોડવીરો જોડાશે
પર્યાવરણની જાળવણીના હેતુસર રહેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સાયકલોકનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આવતીકાલ તારીખ 20 એપ્રિલને રવિવારના રોજ 9મી સાયકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો જીઆઇડીસીમાં આવેલ અટલજી જોગસ પાર્ક ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. વોકાથોન પાંચ કિલોમીટર જ્યારે સાયકલોથન 15 કિલોમીટરની રહેશે.આ સાયકલોવોકાથોનમાં અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પર્યાવરણની જાળવણીના હેતુસર હજારો લોકો આ સાયકલોવોકાથોનમાં ભાગ લેશે જેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.