અંકલેશ્વર: AIAની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને !

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20મી તારીખે થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે. 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.સૌ પ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી

New Update
  • અંકલેશ્વર ઉદ્યોગ મંડળની યોજાશે ચૂંટણી

  • તારીખ 20 જૂને મતદાન

  • ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ

  • 10 બેઠકો પર 20 ઉમેદવારો વચ્ચે જંગ

  • સહયોગ અને વિકાસ પેનલ મેદાને

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુને યોજનારી ચૂંટણીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આ ચૂંટણીમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20મી તારીખે થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે. 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.સૌ પ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી પણ ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચાયા બાદ હવે 10 બેઠક માટે 20 ઉમેદવાર રહેતાં રસાકસીનો જંગ ખેલાશે. ફોર્મ પરત ખેંચવાના દિવસે 21 ફોર્મ પરત ખેંચાયા હતા જ્યારે ફોર્મ રિજેક્ટ થયું હતું. સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે.

સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 1300 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદત પૂરી થાય છે. 30 મેનેજીંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી 20મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો મતદારોને રીઝવવામાં લાગી ગયાં છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ઉમેદવારોના નામ:-
કોર્પોરેટ કેટેગરી:
ઓઝા સંજય કુમાર- સહયોગ પેનલ
રાવ પી. આર.- વિકાસ પેનલ
રિઝર્વ કેટેગરી:-
વાઘાસિયા ભાવેશ પી.-સહયોગ પેનલ
પટેલ યોગેશ આર.- વિકાસ પેનલ
જનરલ કેટેગરી:
સહયોગ પેનલ:-
શાહ ધીરેન એમ.
રાવલ પ્રકાશચંદ્ર સી
અંતાલા પંકજ એસ.
ચોવટિયા અશોક એન.
ખુંટ દિનેશ બી.
પટેલ કમલેશ બી.
પટેલ કલ્પેશ પી.
પટેલ હરેશ જી.
વિકાસ પેનલ:-
પટેલ ભૂપેન્દ્ર એસ.
કાલરિયા ભાવેશ ડી.
પટેલ નિલેશ બી.
ગાંધીયા કમલેશ એન.
જીંજાળા નરેન્દ્ર એ.
પટેલ અતુલ બી.
પટેલ વિમલકુમાર કે
વેકરિયા ચિંતન જે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.