અંકલેશ્વર: AIA દ્વારા આયોજિત ત્રી દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું સમાપન, 30 હજાર ઉદ્યોગ પ્રતિનિધિઓએ લીધી મુલાકાત !

અંકલેશ્વર AIA દ્વારા આયોજિત 15માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોની પુર્ણાહુતી થઇ હતી. ત્રી દિવસીય આ એકસ્પો દરમ્યાન અંદાજે ૩૦ હજાર ઉદ્યોગ પ્રતિનિધીએ મુલાકાત લીધી

New Update
AIA Expo 2025
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું આયોજન

  • ઉદ્યોગ મંડળ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો યોજાયો હતો

  • ત્રી દિવસીય એક્સપોનું સમાપન

  • 30 હજાર ઉદ્યોગ પ્રતિનિધિઓએ લીધી મુલાકાત

  • સ્ટોલ ધારકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા

Advertisment
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 15માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોની પુર્ણાહુતી થઇ હતી.ત્રી દિવસીય આ એકસ્પો દરમ્યાન અંદાજે ૩૦ હજાર ઉદ્યોગ પ્રતિનિધીએ મુલાકાત લીધી હતી.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે યોગી એસ્ટેટ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો પ્રારંભ થયો હતો.આજરોજ આ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોની પુર્ણાહુતી થઇ હતી.ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોમાં કુલ ૨૬૧ થી વધુ સ્ટોલ્સ ઉભા કરાયા હતા.
AIA Expo 2025
Advertisment
પુર્ણાહુતી સમારોહ દરમ્યાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિવિધ કેટેગરીના સ્ટોલ્સ ધારકોને ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા.ત્રિદિવસીય એકપોમાં 30 હજાર જેટલા ઉદ્યોગ પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, એક્સપોના ચેરમેન ડો. વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ સહિતના હોદ્દેદારો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ એક્સપોનો રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Advertisment
Latest Stories