અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 8 અરજીનો ત્વરિત નિકાલ કરાયો...

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

New Update
  • મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ

  • કાર્યક્રમમાં 10 જેટલી અરજીઓ સાંભળવામાં આવી હતી

  • અરજદારોની 8 અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો

  • મામલતદાર તેમજ પ્રાંત અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં 10 અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. જેમાં અધિકારીઓએ ફરિયાદિને રૂબરૂ સાંભળ્યા બાદ 8 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ

New Update
fdf

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 2.5 ઈંચ,ભરૂચ 16 મી.મી.,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 11 મી.મી.,હાંસોટ 2 ઇંચવાલિયા 2 ઇંચ,નેત્રંગમાં 18 મી.મી.વરસાદ નોંધાયો હતો