ભરૂચ: સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના 18મા સ્થાપના દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓ દ્વારા કરાયુ અન્નદાન

ભરૂચના લીંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવીલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડી.કે.સ્વામી દ્વારા 11 જૂન 2006ના દિવસે કરાઈ હતી.

New Update

ભરૂચની સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના અંગ્રેજી માધ્યમના 18 માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ હતી

ભરૂચના લીંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવીલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડી.કે.સ્વામી દ્વારા 11 જૂન 2006ના દિવસે કરાઈ હતી. મંગળવારે શાળાએ 18 વર્ષ પૂર્ણ કરી 19માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો.
શાળાના સ્થાપના દિવસ ની ઉજવણીના ભાગરૂપે આચાર્યા ગીતા પાંધી, જીનીશા મેડમ અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ નર્સરીથી ધોરણ 10 સુધીના તમામ વિધાર્થીઓ દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે સેવાયજ્ઞ સમિતિના જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કર્યું હતું. સેવાયજ્ઞના રાકેશ ભટ્ટે સંસ્થાના ગરીબ દર્દીઓ, વૃધ્ધો, નિરાધાર વતી શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો.સાર્થક ઉજવણી અંતર્ગત વિધાર્થીઓમાં સમાજને ઉપયોગી થઈ શકાય, પરોપકારની ભાવના કેળવાય તેવા પ્રયત્નો શાળા દ્વારા હાથ ધરાયા હતા. કલાત્મક શિક્ષણના ભાગરૂપે શાળાને શણગારનો કાર્યકમ સાથે પૂજાનું આયોજન ગુજરાતી માધ્યમ દ્વારા કરાયું હતું. જેમાં તમામ સ્ટાફ અને છાત્રો ઉત્સાહભેર જોડાયા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે