New Update
-
ભરૂચના બાળકને મળ્યું નવજીવન
-
ઉમલ્લાના શ્રમિક પરિવારના બાળકનું કરાયુ ઓપરેશન
-
હ્ર્દયમાં કાણુ હોવાનું થયું હતું નિદાન
-
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન કરાયુ
-
પરિવારે સરકારનો માન્યો આભાર
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના બાળકના હ્ર્દયમાં કાણુ હોવાનું નિદાન થતા તેનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે.ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે. આંગણવાડીમાં રેગ્યુલર ચેક-અપ કરવા આવતા ડૉકટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઉંચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રીપોર્ટસ માટે ચેક-અપ કર્યુ.
હદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહ્યું ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઑપરેશનની જરૂરિયાત જણાઈ હતી. અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામા આવ્યા હતા. ત્યાંના ડૉકટરના રિપોર્ટમાં પણ આવું જ નિદાન થતાં એક વર્ષના બાળક દેવાંશનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે બદલ પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories