ભરૂચ: BDMA દ્વારા 2 દિવસીય નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજાશે, દેશભરના 30 બિઝનેસ લીડર્સ કરશે સંબોધન

10મુ નેશનલ મેનેજમેન્ટ કન્વેનશન યોજાશે જેમાં દેશભરનાં 30 થી વધુ બિઝનેસ લીડર્સ સંબોધન કરશે. ભરૂચમાં આગામી 13 અને 14 જૂનના રોજ બે દિવસીય કન્વેન્શનનુ આયોજન કરાયું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે કન્વેનશન

  • BDMA દ્વારા કન્વેનશનનું આયોજન

  • 10મુ મેનેજમેન્ટ કન્વેનશન યોજાશે

  • દેશભરના 30 બિઝનેસ લીડર્સ ભાગ લેશે

  • 250 કરતા વધુ ડેલીગેટ્સ ભાગ લેશે

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસો.દ્વારા તારીખ 13-14 જુનના રોજ 10મુ નેશનલ મેનેજમેન્ટ કન્વેનશન યોજાશે જેમાં દેશભરનાં 30 થી વધુ બિઝનેસ લીડર્સ સંબોધન કરશે. ભરૂચમાં આગામી 13 અને 14 જૂનના રોજ બે દિવસીય કન્વેન્શનનુ આયોજન કરાયું છે.જે અનુસંધાને આજ રોજ ભરૂચ BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોર, પ્રોજેક્ટ ચેરમેન હરીશ જોષીએ તમામ કાર્યક્રમની માહિતી આપી હતી.
ઔદ્યોગિક રીતે પાંગરી રહેલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો આધુનિક વ્યવસાયિક વૈશ્વિક ગતિવિધિઓ થી અવગત રહે તેવા આશય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા તા.13 અને 14 જૂન ના રોજ  10મુ નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજશે, જેમાં ઉદ્દઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોનટેક સિંહ આહલુવાલિયા ,158 વર્ષ જૂની ભારત સરકાર ની બાલમેર લૌરી એન્ડ કંપનીના ચેરમેન  અધિપ પાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ ચીફ ઓપરેટિંગ ઓફિસર કે સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ કન્વેનશનમાં ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ ' , ' બિઝનેસ  પ્રોસેસ  ઇનોવેશન્સ' , ' ગ્રીન એનર્જી એન્ડ એફિશિયન્ટ ટેક્નોલોજીસ ', ' ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ ઓન ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર ',  ' રિપિંગ ધ બેનિફિટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ', 'સ્ટાર્ટ્ અપ ધેટ રેડિફાઇન ઇન્ડસ્ટ્રીઝ 'અને પરપઝ બિયોન્ડ પ્રોફિટ' જેવા વિષયો ઉપર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે.
Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.