ભરૂચ : ભારત વિકાસ પરિષદ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થી જીવનની કારકિર્દીના પ્રથમ પગથિયાં સમાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા પછી મોટાભાગના બાળકો અને વાલીઓને ચિંતા રહેતી હોય છે કે હવે પછી

New Update

ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન

ભારત વિકાસ પરિષદ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા કરાયું આયોજન

1 એપ્રિલથી 3જી એપ્રિલ સુધી કાર્યક્રમનું આયોજન

શહેરની પાંચ શાળાઓમાં નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે

વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણનો આવ્યો અંત

વિદ્યાર્થી જીવનની કારકિર્દીના પ્રથમ પગથિયાં સમાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા પછી મોટાભાગના બાળકો અને વાલીઓને ચિંતા રહેતી હોય છે કે હવે પછી શુંતેના માટે ભરૂચમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ શહેરની પાંચ જેટલી શાળાઓમાં નિ:શુલ્ક માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 1લી એપ્રિલથી લઈને 3જી એપ્રિલ દરમિયાન સવારે 9:00 થી 12 :00 ના સમયમાં વિશેષ નિષ્ણાતોને બોલાવી કોઈપણ શાળાનો વિદ્યાર્થી માર્ગદર્શન મેળવી શકે

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.