ભરૂચ: SMCP સંસ્કાર વિદ્યા ભવનમાં Q & I દ્વારા કારકિર્દી કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરાયું

SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે 26મી એપ્રિલ 2025ના રોજ ધોરણ VIII થી XII ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે કારકિર્દી કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરવામા આવ્યું

New Update
SMCP Sanskar Vidya Bhavan
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંચાલન હેઠળની SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે 26મી એપ્રિલ 2025ના રોજ ધોરણ VIII થી XII ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે કારકિર્દી કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતું. ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ Q&I દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું.
Advertisment
SMCP Sanskar Vidya Bhavan
આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દીના વિવિધ માર્ગો અંગે સ્પષ્ટતા સાથે કારકિર્દી નિર્માણનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવા જરૂરી માહિતીથી સજ્જ કરવાનો અને તેમના શૈક્ષણિક સફર બાદ ભવિષ્ય નિર્માણ વિશે જરૂરી માર્ગદર્શન આપી નિર્ણયો લેવામાં મદદરૂપ થવાનો હતો.
Advertisment
Latest Stories