ભરૂચ: વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો

યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તેમજ તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદ થઈ શકાય તે હેતુથી નાગરિકોને સંરક્ષણ તાલીમ અપાઈ

New Update
  • ભરૂચના વાલિયામાં કરાયુ આયોજન

  • વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું

  • સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો

  • અધિકારીઓએ આપી હાજરી

  • લોકો ઉત્સાહભેર જોડાયા

ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સોમવારની સાંજે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો હતો. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત સોમવારના રોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વાલિયા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સોમવારની સાંજે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો હતો.
જેમાં આપતિકલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તેમજ તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદ થઈ શકાય તે હેતુથી નાગરિકોને સંરક્ષણ તાલીમ અપાઈ યુદ્ધ જેવી પરિસ્થિ હતી.આ કાર્યક્રમ મામલતદાર શ્રધ્ધા નાયક,વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.તોમર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.