ભરૂચ: CISFના સ્થાપના દિવસ નિમિત્તે તા.16 માર્ચે સાયકલોથોન યોજાશે, આયોજન સંદર્ભે યોજાય બેઠક

ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા પણ CISF દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સીઆઈએસએફ(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)તેના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણી એક નવી પહેલ સાથે કરવા જઈ રહ્યું છે.

New Update
CISF Foundation Day
સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો, પ્રવાસન કેન્દ્રો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે રાત-દિવસ ખડેપગે રહે છે. ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા પણ CISF દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સીઆઈએસએફ(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)તેના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણી એક નવી પહેલ સાથે કરવા જઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં ૧૬મી તારીખે આ સાયકલ રેલીનું આગમન થનારૂ છે. રેલીના આયોજનની પૂર્વ તૈયારી માટે નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.આ રેલીમાં વધુને વધુ લોકોને તથા સાયકલિસ્ટોને જોડાવા માટે જિલ્લા અધિક કલેકટર તથા CISF કમાન્ડર કૃતિકા નેગી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Latest Stories