ભરૂચ: APMCમાં વહીવટદારની નિમણુંકની માંગ, કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર

ભરૂચ એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું

New Update

ભરૂચ એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું

ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. એપીએમસીના વેપારીઓ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો વેરો આપવામાં આવે છે પરંતુ વહીવટકર્તાઓ દ્વારા વેપારીઓને સુવિધા આપવામાં આવતી નથી. એપીએમસીમાં અતિશય ગંદકી જોવા મળે છે.
સાથે જ વેપારીઓને માળખાકીય સુવિધા પણ નથી અપાતી, આ ઉપરાંત તાજેતરમાં જ એપીએમસીની છ જેટલી દુકાનોની દીવાલ પણ ધરાશાય થઈ હતી. ઘટનામાં મોટી જાનહાની ટળી હતી પરંતુ એપીએમસીના સત્તાધીશો વહીવટ કરવામાં નિષ્ફળ નિવડયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને વહીવટદારની નિમણૂક કરવાની માંગ કિસાન વિકાસ સંઘ દ્વારા કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે