New Update
/connect-gujarat/media/media_files/2025/06/07/eILTB9D1wcmPTxwG3cqu.jpeg)
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોક સુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે.
જૂન-૨૦૨૫ના માસમાં તા.૨૬/૦૬/૨૦૨૫ના રોજ જિલ્લા સ્વાગત તથા તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવાનો હોય ફરિયાદ અરજી ૧ થી ૧૦ તારીખ સુધીમાં ઓનલાઈન https://swagat.gujara https://swagat.gujarat.gov.in રજુઆતો/ફરિયાદો/પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂ કરી શકે છે અથવા અત્રેની કચેરીમાં રૂબરૂ/ટપાલમાં બે નકલમાં મોકલવાની રહેશે. જેમાં અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખી, અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર પોતાનો ટેલીફોન/મોબાઈલ નંબર લખી કરવી. પોસ્ટકાર્ડ કે આંતરપ્રદેશીય પત્રો પર અરજી કરવાની નથી. અરજદારે પોતાનો પ્રશ્ન જાતે રજુ કરવો. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહી. અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે. અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટ જણાવવાનું રહેશે. અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરેલ હોય, પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજુ કરવાની રહેશે.
આ કાર્યક્રમના ભાગરૂપે ૨૪ મી જૂન ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ભરૂચ જિલ્લા કલેકટર ભરૂચ(ગ્રામ્ય) તાલુકામાં, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકલેશ્વર તાલુકામાં તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નેત્રંગ તાલુકામાં મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.