ભરૂચ: બળેલી ખો વિસ્તારમાં ચાની ભૂકી માંથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

ગણેશ મહોત્સવ પૂર્ણતાના આરે, ભરૂચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ. ચાની ભૂકીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવાય, ભગવાન રામ સ્વરૂપની શ્રીજીની પ્રતિમા, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર.

New Update
ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારના રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય ચીજોથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભરૂચના બળેલી ખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઘરમાં જ પોતાના હાથે વિવિધ ઇકોફ્રેન્ડલી ચીજ વસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
સતત ત્રીજા વર્ષે ઘરેજ ચાની ભૂકી, ટોપલી,વાંસ, પૂઠ્ઠા  સહિતની ચીજ વસ્તુઓમાંથી દોઢેક મહિનાની મહેનતથી અયોધ્યાના રામ સ્વરૂપે ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ રાઠોડ પરિવાર આપી રહ્યો છે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.