ભરૂચ: બળેલી ખો વિસ્તારમાં ચાની ભૂકી માંથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

ગણેશ મહોત્સવ પૂર્ણતાના આરે, ભરૂચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ. ચાની ભૂકીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવાય, ભગવાન રામ સ્વરૂપની શ્રીજીની પ્રતિમા, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર.

New Update
ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારના રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય ચીજોથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભરૂચના બળેલી ખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઘરમાં જ પોતાના હાથે વિવિધ ઇકોફ્રેન્ડલી ચીજ વસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
સતત ત્રીજા વર્ષે ઘરેજ ચાની ભૂકી, ટોપલી,વાંસ, પૂઠ્ઠા  સહિતની ચીજ વસ્તુઓમાંથી દોઢેક મહિનાની મહેનતથી અયોધ્યાના રામ સ્વરૂપે ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ રાઠોડ પરિવાર આપી રહ્યો છે.
Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.