ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ દ્વારા ગત રવિવારના રોજ નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડો. કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્ષ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ, નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુર તાલુકા પંચાયતના સભ્ય શકીલ અકુજી દ્વારા નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરાયું હતું. આ કેમ્પમાં હૃદય રોગને લગતા રોગો જેવા કે, છાતીનો દુખાવો, શ્વાસ ચઢવો, પગે સોઝા આવવા, બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ECHO કાઢવાની જરૂરી હોય તેમને 300 રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવ્યો હતો. આ કેમ્પનો નબીપુર સહિત આસપાસની જનતાએ લાભ લીધી હતો. સમગ્ર કેમ્પ દરમ્યાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફે અને ઓફીસ ઇન્ચાર્જ અલી કડુજીએ ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા બદલ તબીબોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.